Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે માર માર્યા ની ફરિયાદ ઇજાગ્રસ્ત વૃધ્ધાને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાઇ.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસેના આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે એક ૫૯ વર્ષીય વૃધ્ધ મહિલ‍ાને પગમાં લાકડીનો સપાટો મારીને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશન માં લખાવા પામી છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આમલઝર ગામના પરેશભાઇ બચુભાઇ વસાવાએ ગામનીજ મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવાને કહ્યુ કે મારા ખેતરમાં ચાર કાપવા કેમ આવેલ.એમ કહીને આ મહિલાને ડાબા પગમાં ઘુંટણ પાસે લાકડીનો સપાટો માર્યો હતો.તેન‍ાથી ઇજા થતા પગમાં ફેકચર થયુ હતું.ઉપરાંત મંગીબેન બચુભાઈ વસાવા રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા એ પણ સવિત‍ાબેનને ઢિકાપાટુ નો માર મારેલ.આરોપીઓએ એકબીજા ની મદદ કરીને મા બેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ હુમલામાં ઇજાગ્રસ્ત વૃધ્ધ મહિલાને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે લઇ જવાઇ હતી.બાદમાં આ ઇજાગ્રસ્ત મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવા રહે.આમલઝર તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ રાજપારડી પોલીસ માં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ મુજબ પરેશભાઇ બચુભાઇ વસાવા અને મંગીબેન બચુભાઈ વસાવા બન્ને રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

ProudOfGujarat

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!