Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે માર માર્યા ની ફરિયાદ ઇજાગ્રસ્ત વૃધ્ધાને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાઇ.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસેના આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે એક ૫૯ વર્ષીય વૃધ્ધ મહિલ‍ાને પગમાં લાકડીનો સપાટો મારીને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશન માં લખાવા પામી છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આમલઝર ગામના પરેશભાઇ બચુભાઇ વસાવાએ ગામનીજ મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવાને કહ્યુ કે મારા ખેતરમાં ચાર કાપવા કેમ આવેલ.એમ કહીને આ મહિલાને ડાબા પગમાં ઘુંટણ પાસે લાકડીનો સપાટો માર્યો હતો.તેન‍ાથી ઇજા થતા પગમાં ફેકચર થયુ હતું.ઉપરાંત મંગીબેન બચુભાઈ વસાવા રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા એ પણ સવિત‍ાબેનને ઢિકાપાટુ નો માર મારેલ.આરોપીઓએ એકબીજા ની મદદ કરીને મા બેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ હુમલામાં ઇજાગ્રસ્ત વૃધ્ધ મહિલાને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે લઇ જવાઇ હતી.બાદમાં આ ઇજાગ્રસ્ત મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવા રહે.આમલઝર તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ રાજપારડી પોલીસ માં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ મુજબ પરેશભાઇ બચુભાઇ વસાવા અને મંગીબેન બચુભાઈ વસાવા બન્ને રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુનની કામગીરીના ભાગરૂપે આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઇ

ProudOfGujarat

વલસાડના બી.આર. સી. ભવન ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એમ્પાવરમેન્ટ પરશન્સ વિથ ઇન્ટેલેક્ચરલ ડિસેબીલીટી અને સર્વ શિક્ષા અભિયાન ના ઉપક્રમે 281 દિવ્યાંગ બાળકોને રૂ.20.50 લાખથી વધુની શિક્ષણની કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!