Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી માં વરસાદ થતાં દિવાળીની ઘરાકી ખોરવાઇ ફટાકડા અને લારીઓ માં સામાન ભરીને વેચતા વેપારીઓ મુશ્કેલીમાં

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

આજે તા.૨૩ મીના રોજ બપોરના સમયે રાજપારડી પંથકમાં વ‍ાદળો ચઢી આવીને ૩ વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.દિવાળીને ૫ દિવસની વાર છે,ત્યારે રાજપારડી ના બજારોમાં દિવાળીની ઘરાકીનો માહોલ જામ્યો છે.સામાન્ય રીતે તહેવારો નિમિત્તે દુકાનદારો અને કેબિન ગલ્લાવાળા દુકાન ની બહાર પણ માલ સામાન ની જમાવટ કરતા હોય છે.આજે વાદળો ચઢીને આવતા વેપારીવર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.બહાર કાઢેલો સામાન એકદમ વગે પણ ના થઇ શકે.કેટલાક વેપારીઓએ વાદળો જોતાજ અમુક સામાન અવેરી લીધો હતો.જ્યારે કેટલાકે બહાર કાઢેલા સામાન પર તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકી દીધા હતા.દિવાળી ટાણે ફટાકડા વેચતા વેપારીઓ માંડવા ઉભા કરીને ધંધો કરેછે,ત્યારે એકાએક આવેલા વરસાદે ફટાકડા ના વેપારીઓને પણ દોડતા કરી દીધા હતા.‍ અને માંડવાઓમાં જમાવટ કરીને ગોઠવેલા ફટાકડાઓમાં હવાટ આવી જવાની દહેશત પણ રહેલી છે.રાજપારડી ની આજુબાજુના ગામોએથી રાજપારડી દિવાળી ની ખરીદી કરવા આવેલા ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.ગામડાઓમાં કાચા મકાનોમાં ચોમાસુ પુર્ણ થતાં મકાન બહાર ઓટલા બનાવવાની કામગીરી થતી હોયછે.દિવાળી નજીકમાં છે,ત્યારે ગામડાઓમાં ગૃહિણીઓએ માટી લાવીને ગાર બનાવીને મહેનત થી બનાવેલા ઓટલા ધોવાઇ જતા ગ્રામિણ વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો.આમ એકાએક આવેલા વરસાદે દિવાળી ટાણે બજારોમાં નીકળેલી ઘરાકી ખોરવાઇ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

ProudOfGujarat

પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ ભરૂચ વિભાગ દ્વારા લાખોનું કથિત કૌભાંડ મામલે ગાંધીનગર સુધી કરાઈ રજુઆત

ProudOfGujarat

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!