Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે યોજાયેલ સંવિધાન બચાવો ચિંતન શિબિર માં જીગ્નેશ મેવાનીએ ભાજપ અને આર. એસ.એસ ઉપર કર્યા પ્રહારો

Share

રાજપીપળા :આરીફ જી કુરેશી

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ,બક્ષીપંચ અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવા માં આવ્યું હતું. આ સંમેલન  ખાસ વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હાજર રહ્યા હતા. સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.  અને જે એસ.સી.એસ.ટી.સબપ્લાન ના રૂપિયા સ્ટેચ્યૂઓ અને અન્ય કામો માં વપરાય છે.
જે બંધ થવા સાથે સંવિધાન ને બચાવવા સંઘઠિત થવા સાથે આગામી દિવસો માં રાજ્ય વ્યાપી આંદોલન કરવા નો પણ ટંકાર કર્યો હતો.આ કાર્યક્રમ માં હાજર તમામ આગેવાનો એ સરકાર ની મનુવાદી રાજનીતિ નો વિરોધ કરી એક થઇ પોતાના હક્કો પર તરાપ મારતી સરકાર ને મુ તોડ જવાબ આપવાની વાત કરી હતી. ત્યારે  આ સંવિધાન બચાવ ચિંતન સીબીર માં ખાસ હાજર એવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ, RSS પર તીખા પ્રહાર. ભાજપ દ્વારા ભારત રત્ન માટે વીર સાવરકરનું નામ લેતા મેવાણી એ કહ્યું હતું કે સાવરકર કાયર હતો, 13 વાર અંગ્રેજો સામે માફી પત્ર લખી ચુક્યો છે ના પુરાવા છે સાથે સુભાસ ચંદ્ર બોઝ ની ફોઝ માં અંગ્રેજ સભ્યો ને ભારતીય બનાવી ઘૂસાડતાં પણ ઝડપાયો હતો આવાને ભારત રત્ન કેમ.કહી વિરોધ કર્યો હતો આપો તો બિરસામુંડા ને આપો ની વાત કરી હતી. દેશ અને ગુજરાત માં  હાલ હિટલર અને મુસીલરી રાજ કરે છે. 
ચિંતન શિબિર માં નારો લગાવ્યો જાયેગા મોદી ભી..મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની માં જીગ્નેશ મેવાણી એ આકર્ષણ જમાવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજાઈ.

ProudOfGujarat

આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ : એક જવેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું.

ProudOfGujarat

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!