Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૂચિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાટે જમીન સંપાદન અર્થે અંકલેશ્વર તાલુકાના સરફુદીન ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share

અમદાવાદ થી મુંબઈ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અર્થે જમીન સંપાદનની કામગીરી દરમ્યાન આજરોજ અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામે તંત્ર દ્વારા કાચા મકાનોના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સરફૂદ્દીન ગામે ૭ જેટલા કાચા મકાનો દબાણ હેઠળ આવતા તેને હટાવવા કોન્ટ્રાકર કંપની એલ.એન્ડ ટી અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે પહોચી હતી.જો કે મકાનમાં રહેતા લોકોએ વિરોધ નોધાવ્યો હતો અને કામગીરી અટકાવી દીધી હતી .તો દબાણ હેઠળ આવતું આંગણવાડી કેન્દ્ર તોડી પાડવામાં આવ્યુ હતું.ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મકાન ખાલી કરવાની કોઈ પણ જાતની નોટીસ વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેઓએ સ્થળાંતર માટે તૈયાર છે પરંતુ તેમને યોગ્ય જગ્યાની ફાળવણી કરવામાં આવે એવી તેઓએ માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

લોકસરકાર ભરૂચ દ્વારા બેનર લગાવી નગરપાલિકા ને જગાડવાનો કર્યો પ્રયાસ…કઈ બાબતે.?જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!