Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

Share

હાલમાં ભરૂચ શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાય રહ્યો છે છતાં નિંદ્રાધીન તંત્ર કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી. ભરૂચ શહેરની આસપાસ ભોલાવ-નંદેલાવના સોસાયટી વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં આ વિસ્તારમાં ફોગીંગ શુદ્ધા કરવામાં નથી આવી રહ્યું. વળી ડેન્ગ્યુના ધણા કેસો હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી હાથ ધરાતી નથી. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય છે તે છતાં આ વિસ્તારોમાં કયારેય આરોગ્ય વિભાગ દ્વારા કે અન્ય તંત્ર દ્વારા કોઈ સર્વે કે કેમ્પ કે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું આ વિસ્તારની પ્રજાના ધ્યાનમાં આવ્યું નથી. તાજેતરમાં જ વરસાદની ઋતુ દરમ્યાન યોગ્ય સાફ-સફાઈ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો નથી જેથી મચ્છરો અને અન્ય રોગચાળા પ્રતિરોધક કોઈ નકકર પગલાં લેવાય તેમ આ વિસ્તારના લોકોની માંગ છે.

Advertisement

Share

Related posts

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડ કેસમાં દોષિત જાહેર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, મુકબધીર અને અંધજનો માટે રમત સ્પર્ધાનું કરાયું આયોજન.

ProudOfGujarat

હવે રાત્રે 12 વાગ્યે પોલીસ નહીં કરાવે ગરબા બંધ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસને આપી સૂચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!