Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

Share

હાલમાં ભરૂચ શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાય રહ્યો છે છતાં નિંદ્રાધીન તંત્ર કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી. ભરૂચ શહેરની આસપાસ ભોલાવ-નંદેલાવના સોસાયટી વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં આ વિસ્તારમાં ફોગીંગ શુદ્ધા કરવામાં નથી આવી રહ્યું. વળી ડેન્ગ્યુના ધણા કેસો હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી હાથ ધરાતી નથી. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય છે તે છતાં આ વિસ્તારોમાં કયારેય આરોગ્ય વિભાગ દ્વારા કે અન્ય તંત્ર દ્વારા કોઈ સર્વે કે કેમ્પ કે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું આ વિસ્તારની પ્રજાના ધ્યાનમાં આવ્યું નથી. તાજેતરમાં જ વરસાદની ઋતુ દરમ્યાન યોગ્ય સાફ-સફાઈ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો નથી જેથી મચ્છરો અને અન્ય રોગચાળા પ્રતિરોધક કોઈ નકકર પગલાં લેવાય તેમ આ વિસ્તારના લોકોની માંગ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મીરા પંજવાણીને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબનો માર્ગારેટ ગોલ્ડિંગ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

ભરૂચમાં બે સગીરવયની બાળાઓ સાથે શારીરિક અડપલા કરનાર કબીર પંથી ઝડપાયો…

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!