Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પરથી ‘મહા’ સંકટ ટળ્યું : ઠેર ઠેર વરસ્યો વરસાદ

Share

દક્ષિણ ગુજરાત પરથી ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ‘મહા’ વાવાઝોડાના કારણે ટોળાતું સંકટ આખરે શમી જતાં તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે. સુવાલી નજીક દરિયો એકદમ શાંત થઈ જતાં ‘મહા’ વાવાઝોડા અંત આવ્યો હતો. છતાં વાવાઝોડાની ઇફેક્ટને કારણે સમુદ્ર કિનારાના પ્રદેશ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત મધ્યરાત્રિ બાદ સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ વરસતા નવી વસાહત સિવિલ તેમજ લીંબાયત ગરનાળામાં પાણી ભરાયા હતા. સુરત સહિત નવસારી વલસાડ અને ડાંગ જીલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો ભોગ બનવું પડયુ છે અને પાકની તારાજી થતાં જગતના તાતને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

Advertisement

Share

Related posts

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહ સ્થાપક ટ્રસ્ટીને શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કર્યો.

ProudOfGujarat

રાજ્યમાં સરકારી બેંન્કોના કર્મચારીઓનું આંદોલન, 27 જૂનથી આટલા દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!