Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગ‍ામે નવી વસાહત રુમાલપરા રોડ પર આવેલ ભાથીજી મંદિરે તા.૧૨ મીને મંગળવારના દેવ દિવાળીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ઝઘડીયા તાલુકા ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ સંજયભાઇ વસાવાના જણાવ્યા મુજબ ભાથીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તા.૧૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા ,સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ, ૫-૩૦ કલાકે ભોજન પ્રસાદી તેમજ રાત્રે ૯ કલાકે રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,ઝઘડીયા ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા,રણજિતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

દેડીયાપાડાના નિંગટ રામેશ્વર હોટલ ખાતે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

ProudOfGujarat

વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ પૂનમ સુધી ચૈત્રી સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!