Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગ‍ામે નવી વસાહત રુમાલપરા રોડ પર આવેલ ભાથીજી મંદિરે તા.૧૨ મીને મંગળવારના દેવ દિવાળીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ઝઘડીયા તાલુકા ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ સંજયભાઇ વસાવાના જણાવ્યા મુજબ ભાથીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તા.૧૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા ,સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ, ૫-૩૦ કલાકે ભોજન પ્રસાદી તેમજ રાત્રે ૯ કલાકે રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,ઝઘડીયા ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા,રણજિતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરની પોદ્દાર વર્લ્ડ સ્કૂલને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!