Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજથી તહેવારોનો પ્રારંભ થયો માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે બધું અનલોક થતા ફરીથી તહેવારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

આજે મુસ્લિમ સંપ્રદાયના લોકોની ઉજવણીનો અવસર છે. અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદુલ અદહાની ઈદની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. અંકલેશ્વર સહીત સમગ્ર દેશમાં આજે ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામા આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે અને નમાજ અદા કરવામાં આવે છે.

Advertisement

ઇદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પુરનું સંકટ, નગરમાં પાણી ઘુસતા વેપારીઓને અને ગરીબોને પારાવાર આર્થિક નુકશાન.

ProudOfGujarat

અત્યાર સુધી ક્યારેય નથી બન્યું આવું… આ ફિલ્મે તોડ્યા બધા જ ફિલ્મના રેકોર્ડ… જુઓ કઈ છે એ ફિલ્મ

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની ચાર નગર પાલિકાનાં પ્રમુખની કરાઇ વરણી, યુવા નેતાઓને કમાન્ડ સોંપાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!