Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજથી તહેવારોનો પ્રારંભ થયો માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે બધું અનલોક થતા ફરીથી તહેવારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

આજે મુસ્લિમ સંપ્રદાયના લોકોની ઉજવણીનો અવસર છે. અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદુલ અદહાની ઈદની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. અંકલેશ્વર સહીત સમગ્ર દેશમાં આજે ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામા આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે અને નમાજ અદા કરવામાં આવે છે.

Advertisement

ઇદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Share

Related posts

ઝઘડિયા:ગુમાનદેવ પીઠ ખાતે તારીખ ૧૧-૦૫-૧૯ના રોજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ : કલરવ સંસ્થામાં શારીરિક ચેલેન્જ આપતા બાળકોની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!