Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજથી તહેવારોનો પ્રારંભ થયો માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે બધું અનલોક થતા ફરીથી તહેવારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

આજે મુસ્લિમ સંપ્રદાયના લોકોની ઉજવણીનો અવસર છે. અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદુલ અદહાની ઈદની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. અંકલેશ્વર સહીત સમગ્ર દેશમાં આજે ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામા આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે અને નમાજ અદા કરવામાં આવે છે.

Advertisement

ઇદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર : પ્રકૃતિ સુરક્ષા મંડળની પ્રદુષણના મુદ્દે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરનાર NCT ના સંચાલકો અને ઉદ્યોગો સામે કેસ કરવા કરી માંગણી

ProudOfGujarat

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10 લાખ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

ProudOfGujarat

ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈ ભરૂચના ધારાસભ્યનું નિવેદન…જાણો શું?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!