Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

Share

કેટલાંક સમયથી હાંસોટ તાલુકામાં રોજીરોટી મેળવવાનાં આશયથી પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હતાં. પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વાઈરસને પગલે શ્રમિકો બેકાર બન્યા હતા અને પોતાના માદરે વતન જવા માટે સરકારનાં નિયમ અનુસાર હાંસોટ તાલુકાનાં 450 જેટલા શ્રમિકોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. તેના સંદર્ભમાં આજરોજ 66 જેટલા શ્રમિકોનાં નામ ઓનલાઇન રજીસ્ટર થતા તેઓને હાંસોટથી બે એસ.ટી બસ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર મોકલવામાં આવ્યા હતા અને અંકલેશ્વરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા યુ.પી. ગોરખપુરમાં બેસાડી પોતાનાં વતન તરફ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. બાકી રહેતા શ્રમિકોને ઓનલાઈન નિયમ મુજબ મોકલવામાં આવશે ત્યારે એક બાજુ પોતાના વતનમાં પોતાના કુટુંબીજનો સાથે ભેગા થવાની ખુશી છે તો બીજી તરફ રોજી રોટી મેળવવા માટે આવ્યા હતા પણ કોરોના મહામારીને લીધે કશું કમાઈ શક્યા નથી તેનો ગમ પણ હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

ProudOfGujarat

અંકલેશ્વરની ટેગ્રોસ કેમિકલ કંપનીમાં ધડાકો, 10 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

ભારતે બાંગ્લાદેશ સામે 410 રનનો લક્ષ્યાંક મૂક્યો, કિશને 210 રન બનાવ્યા, કોહલીએ 113 રન બનાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!