Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડીયા કોલોની ખાતે નિગમને સરકારી મકાનો ના ભાડા ખાતા મકાનમાલિકો સામે ક્યારેય પગલાં લેવાશે??? તંત્રની મિલિભગતથી પૈસા કમાવવાનો વેપલો

Share

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ની સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી દ્વારા નિગમના તેમજ બિન નિગમના કર્મચારીઓને નિગમના નીતિ-નિયમો નેવે મૂકીને સરકારી મકાનો માત્ર રહેવાના (પોતે) હેતુથી ફાળવી આપેલ છે. પરંતુ અહીં તો મકાનમાલિકો પોતે ન રહેતા આવા મકાનો અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનો ના ભાડા ખાવાનો વેપલો શરૂ કર્યો છે. કેવડીયા કોલોની ખાતે ફાળવેલા મકાનોમાંથી 70% મકાનોમાં મકાનમાલિકો પોતે રહેતા ન હોવાની તેમજ ભાડા ખાતા હોવાની બુમો ઉઠી છે સરકારી કચેરીની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ આવા મકાનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતા નથી. તેવી ચર્ચાએ જોર પકડયું છે. શું અધિકારીઓ પૈસા ખાતા હશે??? શું અધિકારીઓ પર કોઈ રાજકીય દબાણ હશે ??? વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડયું છે. સરકારી મિલકતોને ભાડા ખાતા મકાનમાલિકો સામે તંત્ર યોગ્ય પગલા લેશે ખરા આવા મકાનોના માર્કેટ રેટ મુજબ ભાડા કચેરી કાર્ડ છે ખરી કે પછી આવા લોકોનો બચાવ કરશે તે હવે જોવું રહ્યું.

ગૌતમ વ્યાસ:- કેવડીયા

Advertisement

Share

Related posts

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ૩૪૮ બેઠકો માટે અંતિમ દિવસે ૧૧૯૭ ફોર્મ ભરાયાં

ProudOfGujarat

પાટણ શહેરની વી.એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો.

ProudOfGujarat

દહેજની ઓપલ કંપનીમાંથી લઇ જવાતાં 27.72 લાખના દાણા રસ્તામાં ચોરાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!