Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમાં ગામ આગેવાનોની બુદ્ધિ અને કુનેહથી બે રાજકીય પક્ષો વચ્ચે સમાધાન.

Share

પાલેજમાં ગત ૨૦૧૬ ના અંતિમ માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામમાં ભારે ભંગાણ સર્જાયો હતો ત્યારથી ગામમાં બે પક્ષો વચ્ચે તણાવ રહેતો હતો.જેના પગલે સામસામે પોલીસ ફરિયાદો કોર્ટ કેસો વારંવાર સર્જાતા હતા એવામાં ગામ આગેવાનો દ્વારા કુનેહ પૂર્વક બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરાવી ખુબ જ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
પાલેજ નગરની મુખ્ય બે રાજકીય પાર્ટીઓ વચ્ચે ગામ યુવાનો અને આગેવાનો દ્વારા સુલેહ કરાવવામાં આવતા આજ રોજ જાહેર કાર્યક્રમ રાખી એક બીજાને ગળે લગાડી ભૂતકાળ ભૂલી જઈ પાલેજના ભવિષ્યના નિર્માણમાં લાગી જવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ભૂતકાળના બનાવોના પગલે ગામમાં વેરઝેર ભુલી જઈને ગામની એકતા અને સામાજિક સંબંધો સાવ તૂટીના જાય એ પ્રકારનું સમાધાન ગામ આગેવાનોએ કુનેહ પૂર્વક વચ્ચે પડી સમાધાન કરાવતા ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે.જેના પગલે શુક્રવારના રોજ સ્નેહ મિલન સમારંભ પાલેજ નવયુવક મંડળ તરફ થી ગામની જુમાં મસ્જિદ ચોકમાં યોજાયો હતો. ગામના આગેવાનો એ બે પક્ષના લોકોને એકત્ર કરી સમાધાનનો પ્રયાસ કરવામાં જે પ્રયત્નો કર્યા છે તેને લોકોએ બિરદાવ્યા હતાં. ઉપરાંત ગામ આગેવાનો દ્વારા ભવિષ્યમાં આ બે પક્ષ વચ્ચે કાયમી ધોરણે ગામમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ કલુષિત ના બને એવા પ્રયત્નો કરી ગામ માં એકતાનું ઉદાહરણ પ્રજવાલિત કર્યું છે.

ઇમરાન ઐયુંબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : જુના તવરા ગામે વરસાદમાં ૨૦ થી વધુ મકાનોનાં પતરા ઉડતા ભારે નુકસાન

ProudOfGujarat

અંકલેશ્વર ના બે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૩૦૦થી વધુ આરોપીઓની વિગતો એકત્ર કરી ઉચ્ચકક્ષાએ મોકલાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!