Proud of Gujarat
GujaratFeaturedINDIA

33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ આવ્યા, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે

Share

 
ગાંધીનગર: ગીરના જંગલમાં દલખાણીયા રેંજના સરસીયા વિસ્તારના એક જુથના 26 પૈકી 23 સિંહના મોત થયા છે, જયારે ત્રણ હજુ પણ ગંભીર હોવાથી તેને બચાવવા પડકાર છે. સીમરડી અને પાણીયા વિસ્તારના 33 સિંહના બ્લડ સેમ્પલ અને લાળના સેમ્પલ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલ્યા હતા. આ ચેકીંગ દરમિયાન 33 સિંહના બ્લડ સેમ્પલ નેગેટીવ આવ્યા હોવાનું વન વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે

તેમણે કહ્યું હતું કે, મોંઢા, નાક અને આંખની લાળના સેમ્પલ આવ્યા પછી 33 સિંહ ભયમુકત છે કે નહીં તે કહીં શકાય. સરસીયાના 26 પૈકી 23 સિંહ મૃત્યુ પામ્યા તે પૈકી 10 સિંહ ઇતરડી અને ચાર સિંહને કેનાઇલ ડીસ્ટેમ્પર અને 9 પૈકી છ સિંહ ઇનફાઇટથી પરંતુ ત્રણ સિંહ કઇ રીતે મોતને ભેટયા તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

Advertisement


સીકરણ: તમામ સિંહનું નહીં પરંતુ નબળા જણાતા સિંહને રસી અપાશે
3.65 લાખની 300 વેકસીન બોટલ આજે ગીરમાં પહોંચશે
અમેરિકાથી મંગાવેલી કેનાઇલ ડીસ્ટેમ્પરની 300 બોટલની કિંમત રૂ. 3.65 લાખ થાય છે એટલે એક બોટલની કિંમત રૂ. 1200 આસપાસ થાય છે. બોટલ બપોરે મુંબઇ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી તેને પ્લેન મારફતે રાજકોટ અને પછી ત્યાંથી વાહન માર્ગે જૂનાગઢ લઇ જવાશે. તમામ સિંહને નહીં, પરંતુ જરૂર જણાય તેટલા સિંહને રસીકરણ કરાશે.

ખાંભાના મોટા બારમણમાં સિંહ ગુમ

મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી અહીં એક 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો કાયમી સાથે જ રહે છે અને શિકાર પણ સાથે જ કરે છે. બે દિવસથી એક સિંહ લાપતા થયો હોય ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરી છે.સૌજન્ય


Share

Related posts

અમદાવાદ-GCS હોસ્પિટલમાં ઈન્ફેક્શનને કારણે 20 દિવસમાં 6 નવજાત બાળકનાં મોત

ProudOfGujarat

વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ ના નેતા તરીકે વોર્ડ નંબર ૨ ના કાઉન્સીલર અને યુવા નેતા સમસાદ અલી સૈયદ ની વરણી કરવામાં આવી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!