Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

Share

સુરતમાં છેલ્લા ધણા સમયથી ગાંજાના સ્પ્લાયરો વધી ગયા છે. જેમાં પણ સુરતમાં ઉડીશાથી આવતી ટ્રેનોમાં ગાંજો મોકલનારા સપ્લાયરને અહીં મોટા વેપારી પણ સુરતમાં છે ત્યાં વારંવાર સુરતમાં ગાંજો વેચનારા ઝડપાયા છે ત્યાં ફરી સુરતમાં ગાંજાનો મોટો જથ્થો રેલ્વે ફાટક નજીક સપ્લાયરો દ્વારા ટ્રેનમાંથી ફેંકવામાં આવ્યો હતો. જેમાં સુરતમાં માલ્યાવાડ ફાટક નજીક લાલ સૂટકેસ અને બે થેલા ફેંકવામાં આવ્યા હતા. જોકે થેલામાં શંકાસ્પદ વસ્તુ દેખાતાં સુરત રેલ્વે આર.પી.એફ ને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. થેલા ખોલી જોતાં અંદરથી 42 કિલો ગાંજા કે જેની બજાર કિંમત રૂ.252000 નો મુદ્દામાલ હતો તે કબ્જે કરીને આ મુદ્દામાલ કોણે ફેંક્યો હતો કોણ હતા તેની વિગતો રેલ્વે આર.પી.એફ એ મેળવવાનું શરૂ કર્યું છે.

Advertisement

Share

Related posts

દહેજથી સેલવાસ પી.ટી.એ પાવડરનો જથ્થો લઈને જતાં ડ્રાઇવરની હત્યા કરી બે મિત્રો ફરાર.

ProudOfGujarat

આણંદમાં પ્રથમવાર જૈન સમાજના 280 તપસ્વીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

માલદીવમાં મોટી દુર્ઘટના, ઈમારતમાં આગ લાગતા 9 ભારતીયો સહિત 10 લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!