Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી ગામનાં નવગામમાં સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબ લોકોને અનાજ આપે છે પરંતુ પાવતી કાચી લખીને આપતા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

Share

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી તાલુકામાં આવેલ પછાત ગામોમાં અનાજ ચોરી કરવામાં આવી રહ્યું છે. સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબોનું અનાજ ચોરી કરી રહ્યા છે પરંતુ ગરીબ લોકોને કોઈ સાંભળનાર નથી. આવો જ બનાવ નસવાડીનાં નવાગામ ખાતે ગરીબ માટે સરકારી યોજના થકી માલના સસ્તા અનાજનાં દુકાન સંચાલક જયસ્વાલ મહેશકુમાર મારફતે ગરીબને અનાજ તો આપવામાં આવે છે પરંતુ રૂપિયા લઈને પણ પાકી પહોંચ આપવામાં આવતી નથી. આ જયસ્વાલ મહેશકુમાર રીતસરનો અનાજ ચોરી કરતો હોવાની ફરિયાદ લોકોએ કરી છતાં જીલ્લા પુરવઠા ખાતાનાં અધિકારી કેમ પગલાં ભરતા નથી. આ લોકો ગરીબોનું અનાજ ચોરી રહ્યા છે તેમ છતાં પુરવઠા ખાતું કેમ તપાસ કરતું નથી. આ મામલે જીલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરવી જ રહી. કેમ કે આ દુકાન સંચાલક દ્વારા ગરીબોનાં હકકનું અનાજ ચોરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

ગૌતમ વ્યાસ : કેવડિયા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ફરિયાદ પાછી ખેંચવાનું કહીને પાંચ ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

પાલિતાણા તાલુકાના વિરપુર ગામે ભણતરના નામે મીડું ? શુ થાસે વિરપુર ગામના વિધાર્થીઓનું ?

ProudOfGujarat
error: Content is protected !!