Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી ગામનાં નવગામમાં સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબ લોકોને અનાજ આપે છે પરંતુ પાવતી કાચી લખીને આપતા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

Share

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી તાલુકામાં આવેલ પછાત ગામોમાં અનાજ ચોરી કરવામાં આવી રહ્યું છે. સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબોનું અનાજ ચોરી કરી રહ્યા છે પરંતુ ગરીબ લોકોને કોઈ સાંભળનાર નથી. આવો જ બનાવ નસવાડીનાં નવાગામ ખાતે ગરીબ માટે સરકારી યોજના થકી માલના સસ્તા અનાજનાં દુકાન સંચાલક જયસ્વાલ મહેશકુમાર મારફતે ગરીબને અનાજ તો આપવામાં આવે છે પરંતુ રૂપિયા લઈને પણ પાકી પહોંચ આપવામાં આવતી નથી. આ જયસ્વાલ મહેશકુમાર રીતસરનો અનાજ ચોરી કરતો હોવાની ફરિયાદ લોકોએ કરી છતાં જીલ્લા પુરવઠા ખાતાનાં અધિકારી કેમ પગલાં ભરતા નથી. આ લોકો ગરીબોનું અનાજ ચોરી રહ્યા છે તેમ છતાં પુરવઠા ખાતું કેમ તપાસ કરતું નથી. આ મામલે જીલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરવી જ રહી. કેમ કે આ દુકાન સંચાલક દ્વારા ગરીબોનાં હકકનું અનાજ ચોરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

ગૌતમ વ્યાસ : કેવડિયા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

ProudOfGujarat

ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

ProudOfGujarat
error: Content is protected !!