Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

Share

કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ મોત નીપજયા હતા. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તા. 22/8/2020 ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલીગ ટાવરમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ બનાવનાં પગલે નાસભાગ મચી ગઈ હતી. હાલ મળતી માહીતી મુજબ કોઈ નુકશાન થયેલ નથી મરીન પોલીસ દહેજ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત સ્‍વચ્‍છતા રથનું(ડીઝીટલ મોબાઇલ વાન) જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એસ.એમ.ગામીતે કરાવેલું પ્રસ્‍થાન

ProudOfGujarat

ભરૂચ : ઝધડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતાં 6 ડમ્પરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!