Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

Share

કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ મોત નીપજયા હતા. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તા. 22/8/2020 ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલીગ ટાવરમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ બનાવનાં પગલે નાસભાગ મચી ગઈ હતી. હાલ મળતી માહીતી મુજબ કોઈ નુકશાન થયેલ નથી મરીન પોલીસ દહેજ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો, એક યુવાનનું ગંભીર મોત…

ProudOfGujarat

ભરૂચમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઇ બોર્ડ મીટિંગ.

ProudOfGujarat

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામા આયોજનમંડળની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!