Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના ડાધારીયા ગામની અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતી 21 વર્ષીય શીતલ જયેશભાઈ કટારા ગતરોજ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગના પાંચમા માળે કામ કરી રહી હતી તે વેળા અચાનક તેણીનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાતા તેણીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વિના કામગીરીને પગલે ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

રાજકીય હવા બદલતો એક નિર્ણય-મોદી નો માસ્ટરસ્ટ્રોક કહો કે મૅજીક… સવર્ણોને ૧૦% અનામત-શુ ચૂંટણીઓ વહેેલી આવશે..??

ProudOfGujarat

ભરૂચ હોમગાર્ડસના જિલ્લા કમાન્ડન્ટ સંજય કાયસ્થને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક અપાશે

ProudOfGujarat

ભરૂચ : કાશ્મીર ફાઇલ ફિલ્મ પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણીનો યુવા ભાજપ દ્વારા વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!