Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

Share

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મોરનું મોત અજાણ્યા વાહન ચાલકની અડફેટે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર 48 દિન-પ્રતિદિન અકસ્માત માટે ચર્ચામાં હોય છે. બેફામ અને ગફલત ભરી રીતે ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહન હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન અકસ્માતની સાથે સાથે હવે મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ અજાણ્યા વાહન ચાલકને અડફેટે મોત નીપજયું હોવાની ચર્ચાએ જોર પકડતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે અરવિંદ મછારની નિયુકતી કરાઇ.

ProudOfGujarat

જસ્ટિન લેંગર : ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું કાળું સત્ય સામે આવ્યું, પૂર્વ કોચે કહ્યું- થાય છે ગંદી રાજનીતિ.

ProudOfGujarat

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!