Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

Share

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મોરનું મોત અજાણ્યા વાહન ચાલકની અડફેટે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર 48 દિન-પ્રતિદિન અકસ્માત માટે ચર્ચામાં હોય છે. બેફામ અને ગફલત ભરી રીતે ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહન હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન અકસ્માતની સાથે સાથે હવે મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ અજાણ્યા વાહન ચાલકને અડફેટે મોત નીપજયું હોવાની ચર્ચાએ જોર પકડતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે.

Advertisement

Share

Related posts

સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં. 1 પર ૨ થી ૩ રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરી સર્જાઇ-એક યુવાન ઘાયલ..

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કર્મીઓના પગાર ન થતાં બીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : કયાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સપાટી અને નર્મદા નદીની સપાટી વિશે જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!