Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

Share

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મોરનું મોત અજાણ્યા વાહન ચાલકની અડફેટે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર 48 દિન-પ્રતિદિન અકસ્માત માટે ચર્ચામાં હોય છે. બેફામ અને ગફલત ભરી રીતે ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહન હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન અકસ્માતની સાથે સાથે હવે મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ અજાણ્યા વાહન ચાલકને અડફેટે મોત નીપજયું હોવાની ચર્ચાએ જોર પકડતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે સગીર યુવક વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદ-સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં કરવામાં આવ્યુ એક રાઉન્ડ ફાયરિંગ..જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!