Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકના કંડકટરને માર મારવામાં આવ્યો હતો.

Share

ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક યુવાન ટ્રકચાલકને માર માર્યાની ધટના પ્રકાશમાં આવી છે. ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના બાઉન્સરોની લુખ્ખી દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજરોજ ભરૂચ ટોલનાકા બાઉન્સરો એક યુવાન ટ્રકચાલકને નિર્દય રીતે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.દરમિયાન મળતી માહિતી પ્રમાણે આ ટ્રક ચાલક ફાયઝ રમજાન મદારા ઉંમર વર્ષ 21, મુળ છોટાઉદેપુરનો રહીશ છે અને છોટાઉદેપુરથી સુરત જતી વખતે ભરૂચના ટોલનાકા પાસે કોઈ કારણોસર ૧૫ થી 17 જેટલા લોકોએ તેના પર હિંસક હુમલો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના ઇખર ગામ ખાતે સગીરાની છેડતી મામલે ૨ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ : આરોપીઓ ફરાર.

ProudOfGujarat

રાજપીપલા : કેન્દ્ર સરકારે ગ્રામસભાઓને વિશિષ્ટ અધિકારો પ્રદાન કરવાના પરિપત્ર જાહેર કરતા ગ્રામસભાઓને મળશે અધિકારો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી –રાજકોટ હાઇવે પર વસ્તાડી પાટિયા પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!