Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકના કંડકટરને માર મારવામાં આવ્યો હતો.

Share

ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક યુવાન ટ્રકચાલકને માર માર્યાની ધટના પ્રકાશમાં આવી છે. ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના બાઉન્સરોની લુખ્ખી દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજરોજ ભરૂચ ટોલનાકા બાઉન્સરો એક યુવાન ટ્રકચાલકને નિર્દય રીતે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.દરમિયાન મળતી માહિતી પ્રમાણે આ ટ્રક ચાલક ફાયઝ રમજાન મદારા ઉંમર વર્ષ 21, મુળ છોટાઉદેપુરનો રહીશ છે અને છોટાઉદેપુરથી સુરત જતી વખતે ભરૂચના ટોલનાકા પાસે કોઈ કારણોસર ૧૫ થી 17 જેટલા લોકોએ તેના પર હિંસક હુમલો કર્યો હતો.

Advertisement

Share

Related posts

CM એ ગાંધીનગરમાં 11,291 કરોડના સૂચિત રોકાણો માટે MoU કર્યા.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

નર્મદાની ગરૂડેશ્વર અને તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલને 100% પરિણામ બદલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!