Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ના ગોડાઉન માં ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ખાતેના ગોડાઉન માં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …….
જોકે સમગ્ર બનાવ અંગે ની જાણ સ્થાનિકો એ તાત્કાલિક ફાયર વિભાગ માં કરતા અંકલેશ્વર ફાયર વિભાગ ના ત્રણ જેટલા લાય બંમ્બા ઘટના સ્થળે દોડી જઇ આગ ને કાબુ માં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા..જેમાં ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો જોકે સદનસીબે ગોડાઉન માં આગ લાગવાની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…….
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અંકલેશ્વર ના અંસાર માર્કેટ માં ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે અને આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના થી ઉપસ્થીત લોકો માં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જવવા પામ્યો હતો….

Share

Related posts

ભરૂચ : રોટરી કલબનાં વેકસીન સેન્ટરમાં કોવિડ-19 નાં નિયમોનો સરેઆમ ભંગ…

ProudOfGujarat

સુરત : આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર : ડોક્ટર્સ દ્વારા સરકારની નિતીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયુ..!

ProudOfGujarat

નડિયાદના બે વિદ્યાર્થીઓ યુકેનથી હેમખેમ પરત આવ્યા.

ProudOfGujarat
error: Content is protected !!