Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન મારૂતિધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ચોરી ધટના અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોમાં ઉત્તરાયણની રાત્રે ચોરી કરવામાં આવી હતી. મારૂતિધામ સોસાયટીમાં પરિવાર બહાર ગયા હતા તેવા ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને રોકડ, દાગીના સહિતનો સાતથી આઠ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ધટનાના પગલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ

ProudOfGujarat

હાલોલમાં બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું

ProudOfGujarat

સોશિયલ મીડિયા ના માધ્યમથી રોમિયોગીરી કરતો ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!