અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝી સોસાયટીમાં રહેતા સોહીલ મહંમદ અલી પટેલે પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.બી.એમ.3785 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન ગતરોજ વાહન ચોરોએ તેઓની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે સોસાયટીમાંથી વાહન ચોરો અન્ય બે બાઇકોની ચોરી કરી ગયા હતા જે બંને બાઇકોને માર્ગમાં ફેંકી એક બાઈક લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે સોહીલ પટેલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement
