Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

Share

સુરતનાં વરાછા વિસ્તારનાં એ.કે.રોડ ઉપર આવેલ શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં સી.ઓ.પી. ની જગ્યા ખાલી કરાવવા બિલ્ડરે પોલીસ બોલાવતા રહીશો વિફરતા પોલીસ સાથે મારામારી કરતાં પોલીસે કેટલાક લોકોની આ મામલે અટક કરી હતી. સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ એ.કે.રોડની શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં આજે રહીશો અને પોલીસ સામસામે આવી ગઈ હતી. મળેલી વિગતોમાં બિલ્ડર દ્વ્રારા અહીંની સી.ઓ.પી. ની જગ્યા ખાલી કરવા માટેનો છેલ્લા ધણા સમયથી પ્રયાસ કરવામાં આવે છે. જયારે સોસાયટીનાં રહીશો અહીં COP ની જગ્યા પર પોતાનાં વાહનો પાર્કિંગ કરે છે. જયારે બિલ્ડરો દ્વારા આજે વરાછા પોલીસને સાથે રહીને આ જગ્યા ખાલી કરવા માટે કરેલા પ્રયાસોમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો સામસામે આવી ગયા હતા. આ મામલો મારામારી સુધી આવી જતાં પોલીસે બળ જબરી વાપરીને અનેક રહીશોની અટક કરી હતી. જેમાં પણ પોલીસ સાથે સ્થાનિક રહીશો ધર્ષણમાં ઉતર્યા હતા.

Advertisement

Share

Related posts

અમિતશાહે ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરી હાઇટેક ભોજનાલયનું લોકાર્પણ કર્યું

ProudOfGujarat

આનાથી મોટી રક્ષાબંધન ભેટ શુ હોઈ શકે…? : કિડની દાન કરીને ભાઈએ બહેનને નવુ જીવન આપ્યું

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર પંથકમાં વધુ પાંચ બાંગ્લાદેશી ઝડપાયાં, ડિપોર્ટ કરવાની કવાયત શરૂ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!