Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

Share

સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનાં ઊભાં પાકને ભારે નુકસાન થશે તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડૂતોએ ખેતીની જમીન ઉદ્યોગો માટે આપી છે અને જો ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં. છેલ્લાં કેટલાક દિવસથી પાણી બંધ છે માટે તેમણે સિંચાઇ વિભાગને લેખિત અરજી કરી 25 દિવસ સુધી નહેરમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરની આડમાં દારૂનું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા..!

ProudOfGujarat

ભાડભૂતમાં માછીમારો બીજા જૂવારમાં માછીમારી માટે રવાના : હિલ્સા મચ્છીનો સારો ફાલ મળે તેવી આશા, આગામી ચાર દિવસ માછીમારો અને વેપારીઓની નજર

ProudOfGujarat

જામનગરમાં મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વિનામૂલ્ય વોકેથોનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!