Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

Share

સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનાં ઊભાં પાકને ભારે નુકસાન થશે તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડૂતોએ ખેતીની જમીન ઉદ્યોગો માટે આપી છે અને જો ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં. છેલ્લાં કેટલાક દિવસથી પાણી બંધ છે માટે તેમણે સિંચાઇ વિભાગને લેખિત અરજી કરી 25 દિવસ સુધી નહેરમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

પ્રાથમિક મિશ્ર શાળા સુરી માં શિક્ષક દિન ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : પાલેજ કુમારશાળામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!