Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતા દ્વારા ગરીબોમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

Share

પાલેજ નગરમાં ગુરૂવારના રોજ કોરોનાનાં પગલે ગરીબ કુટુંબો ભૂખમરામાં ના સપડાઈ જાય માટે સખી દાતાઓ તેમજ મોહદીસે આઝમ પાલેજ બ્રાન્ચ દ્વારા પાલેજના નવીનગરી વિસ્તારમાં ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની ઘર વખરી ઉપલબ્ધ કરાવી ગરીબ કુટુંબોને રાહત પહોંચાડવામાં આવી હતી.પાલેજ નગરમાં રોજિંદી મજૂરી તેમજ લારી-ગલ્લા તેમજ છુટક કામ કરી જીવન નિર્યાત કરતા ગરીબ કુટુંબો કોરોનાની મહામારી અનુસંધાને કરવામાં આવેલ લોક ડાઉનમાં મુસીબતમાં ના મુકાઈ જાય માટે ગામના આગેવાનો,યુવાનો તેમજ અનેક ધાર્મિક સામાજિક સંગઠનો આગળ આવી છુટા હાથે મદદ કરી રહ્યા છે.ગુરૂવારના રોજ પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતાઓ દ્વારા પાલેજના ગરીબ કુટુંબોમાં અનાજ તેમજ શાકભાજી જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટો તૈયાર કરી ઘેર બેઠા ઉપલબ્ધ કરાવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી, મોહદીસે આઝમ મિશન બ્રાન્ચ પ્રમુખ હાજી ફારૂખ લાંગિયા મક્કા મસ્જિદ ના ઇમામ મોલના અહમદ અલી અશરફી તેમજ પઠાણ સિકંદર ખાન હસન ખાન ઝંડા સાથે મળી નગરમાં વસવાટ કરતા ગરીબોની વહારે આવી તેઓની અનાજની જરૂરિયાતની દરકાળ લેતા ચોતરફી પ્રશંસા થઈ રહી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલીમાંથી સગીરાને છેલ્લા એક માસથી ભગાડી જનાર આરોપી તથા સગીરાને મેરઠ (U.P) થી ઝડપી પાડતી ડીંડોલી સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

“શિવભક્તોનો અખંડ તહેવાર એટલે શિવની રાત્રી મહા-શિવરાત્રી આવી રહી છે સંગ મહાદેવને ભરૂચ લાવી રહી છે.”૨૦૨૩ ની આવનારી મહાશિવરાત્રીની શિવભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!