Proud of Gujarat
FeaturedGujaratINDIA

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.

Share

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન ના કારણે ગરીબો રોજગારી થી વંચિત થયા હતા. વકીલપરા ગામ ના એન.આર.આઈ દિનેશભાઇ સોમાભાઈ પટેલે માનવતા મહેકાવી ગરીબ પરિવારોને દસ કિલો ઘઉં નો લોટ, અઢી કિલો ચોખા, પાંચસો ગ્રામ તુવર દાળ, એક કિલો તેલ સહીત ઉપરોક્ત સમાન ની એક કીટ બનાવી ગરીબ પરિવારો ને આપવામાં આવી હતી. સેવાભાવી દાનવીર દિનેશભાઇ પટેલ દ્વારા અગાઉ વકીલપરા ની પ્રાથમિક શાળા માં દાન કરવા માં આવ્યું હતું તેમજ થોડા દિવસ પહેલા ત્રણ જેટલાં આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરાયું હતું. કોરોના કારણે રોજગારી બંધ થતા ગરીબ પરિવાર ની વ્હારે આવ્યા હતા. અણોઈ અને વકીલપરા ગામે તેઓ દ્વારા તૈયાર કરાયેલી અનાજ કીટ નું વિતરણ માંગરોળ પો.સ.ઈ પરેશ નાયી અને કિન્નર ભાઈ ના હસ્તે કરાયું હતું.

વિનોદ મૈસુરિયા :- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ઃ આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયા એ ક્રુઝ પાર્ટીનાં ફોટો પોસ્ટ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!