Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના પાવર હાઉસ ખાતે આવેલા તીરઘરવાસ, વાલ્મીકીવાસ, વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી પારાવાર મુશ્કેલી

Share

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરૉનો વાઇરસ ના સંક્રમણ ના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ગોધરામાં પણ આવેલ તીરઘરવાસ માં ચેન્નાઈ ખાતે ધંધા રોજગાર માટે ગયેલ પરિવાર કોરૉનો વાઇરસ ના ડર ના કારણે પરત પોતાના વતન ગોધરા આવ્યા હતા આ બાબત ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગ થતાં તાત્કાલીક અસરથી તીરઘરવાસ માં આવી આ પરિવારને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે ત્યારે આની બિલકુલ બાજુમાં વાલ્મીકીવાસ સિંધુરી માતા મંદિર વગેરે જગ્યા એ ગંદકી એ માઝા મુકી છે જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વિસ્તારમાં આવેલ ડૉ આંબેડકર પ્રાથમિક શાળાના સામે પાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવેલ છે. જેમાં ગંદકીના થર અને દારૂની પોટલી ના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત બાજુમાં આવેલી કેનાલમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈલું જોવા મળે છે જેથી જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક નગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

અમદાવાદના વસ્ત્રાપુર અને મેમનગરમાંથી આઈપીએલની ટી-20 મેચ પર સટ્ટો રમતા બે ઈસમો પકડાયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં કલાત્મક હિંડોળાનાં દર્શન માટે ભક્તોની ભીડ…

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રોનો આજથી વધુ એક રૂટ શરુ, એપીએમસીથી મોટેરા વચ્ચે શરુ થઈ ટ્રેન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!