Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના તીરઘરવાસ ખાતે ચેન્નાઈ થી આવેલ પ્રવાસીઓને ૧૪ દિવસો માટે હોમ ક્વોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા હોવાની જાહેર નોટીસ ઘર બહાર લગાડવામાં આવી.

Share

કોરૉનો વાઇરસના સંક્રમણ ના ભયભીત માહોલમાં ચેન્નાઈ ખાતે થી પરત પોતાના વતન ગોધરા માં આવેલ પરીવાર ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગ થતાં તાત્કાલીક તપાસ કરી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યો ને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાની સત્તાવાર નામ સરનામા સાથે જાહેર સુચના ની નોટિસ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોંટાડવાંમાં આવી હતી.
ગોધરાના તીરઘરવાસ ખાતે તા.૨૦ માર્ચ થી ૦૨ એપ્રિલ સુધી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યોની સ્વાસ્થ્ય ભલે સુરક્ષિત હોય પરંતુ ગુજરાતમાં કોરૉનો વાઇરસ ના દિન પ્રતિદિન વધી રહેલા વાઇરસ પીડિત દર્દીઓ અને સંક્રમણને રોકવા માટે હવે આ પરિવારના સભ્યો ને ૧૪ દિવસ સુધી ફરજીયાત હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ૧૪ દિવસ સુધી ઘરની બહાર નીકળવાના પ્રતિબંધ સાથે કોઈની મુલાકાત પણ કરી શકાશે નહીં અને આ સૂચનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ કોરૉનો વાઇરસ ના સંક્રમણના આ માહોલમાં સ્થાનિક રહીશો અને સ્વજનો ને આ પ્રવાસીઓથી દૂર રાખવા માટે ૧૪ દિવસ માટે હરવા ફરવાના પ્રતિબંધ સાથે હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાની નોટીસ નામ જોગ ઘરની બહાર ચોંટાડવાંમાં આવી છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ઝધડીયા GIDC માં દીપડી સહિત બે બચ્ચા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો.

ProudOfGujarat

સુરત : 108 નાં સ્ટાફે સરાહનીય કામગીરી કરી…જાણો વધુ.

ProudOfGujarat

સુરતમાં યુવકે બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!