Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં લોકડાઉન દરમિયાન લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર આજથી વિના મૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરાયું હતું.

Share

ભરૂચમાં આજરોજ વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા આજથી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે જીવન જરૂરિયાત માટે અનાજનું વિતરણ હાથ ધરાયુ હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાશનનાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી તો કેટલાક સ્થળે ધજાગરા ઉડ્યા હતા. જોકે અવ્યવસ્થા ના થાય તે માટે તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાને દુકાનદાર સિવાય બે શિક્ષકો અને હોમગાર્ડ જવાન પણ રાખવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આજથી ૫૦૫ દુકાનોમાં વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

ProudOfGujarat

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં 32મા નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણીનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!