Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

Share

કોરોના વાઈરસને લઈને પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા સેનિટાઈઝ કેબિન બનાવવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા બનાવવામાં આવેલી સેનિટાઈઝ કેબિનને શહેરની ત્રણ હોસ્પિટલ બહાર મુકવામાં આવશે. જેથી હોસ્પિટલમાં પ્રવેશનાર તબીબથી લઈને દર્દી અને તેના સંબંધીઓ ગણતરીના સમયમાં જ સેનિટાઈઝ થઈને બહાર નીકળશે. ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, સેનિટાઈઝ કેબિનમાં પંખાનો તથા વિવિધ સેનિટાઈઝ કરતાં કેમિકલ એ રીતે પ્રસરાવવામાં આવી રહ્યાં છે કે જેથી કરીને વ્યક્તિ આ કેબિનમાંથી પસાર થાય એટલે તરત જ સેનિટાઈઝ થઈ જશે. હોસ્પિટલમાં અસંખ્ય લોકો રોજે રોજ આવતાં હોય છે. જેમાં માત્ર હાથ સાફ કરાવવા કરતાં આખા શરીરને સેનિટાઈઝ કરવામાં આવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય.

Advertisement

Share

Related posts

ગોધરા : સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમિત્તે કોવિડ સંક્રમિત દર્દીઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

નડિયાદ : ટ્રકમાં વોટર ફિલ્ટર અને કુલરની જગ્યાએ સંતાડેલો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અદભુત ટેક્નોલોજી : ભારતભરમાં સૌપ્રથમ વખત વલસાડમાં રેલવેનો ઓવરબ્રિજ માત્ર 20 દિવસમાં બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!