Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાનાં ખરચ ગામે અન્ન બ્રહ્મ યોજના હેઠળ મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

 હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના પગલે લોક ડાઉન થવાથી લોકો ઘરની બહાર નીકળી શકતાં ન હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા જમવાનું અને રાશન પહોંચાડી સેવા કરી રહી છે.

ત્યારે સરકારશ્રી ની અન્ન બ્રહ્મ યોજના દ્વારા જે શ્રમિક લોકો છે અને બહાર ગામથી આવીને મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેવા લોકો રેશન કાર્ડ ધરાવતાં નથી તેવા લોકોને પણ અનાજ મળી રહે તે હેતુથી સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલના વરદ હસ્તે હાંસોટ તાલુકાના ખરચ ગામે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આખા હાંસોટ તાલુકામાં દરેક ગામમાં રેશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ ફુડ બાસ્કેટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ કલેકટર મિતેશ પટેલ, સર્કલ ઑફિસર ભરત પટેલ, સરપંચ અર્જુન વસાવા અને ડેપ્યૂટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વિદ્યાર્થી અને કોચે હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ જીલ્લાનું ગોરવ વધાર્યું છે.

ProudOfGujarat

તાજમહેલ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બન્યા વાંદરાઓ, કરશે 10 હજાર વાંદરાઓની નસબંધી.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!