Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના નવા બનનારા ગ્રામ્ય માર્ગોનું કરાયું ખાતમુહુર્ત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કેટલાક ગ્રામ્ય માર્ગોનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપદરા ચોકડીથી સંજાલી ગામને જોડતો રસ્તો, વઢવાણા ગામને જોડતો રસ્તો તેમજ ઈન્દોરથી મોટા વાસણાને જોડતો રસ્તો મળીને કુલ રૂ. ૧ કરોડ ૨૯ લાખના ખર્ચે આ રસ્તાઓ તૈયાર થશે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલા આ રસ્તાઓના કામનું આજરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા સંગઠનના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા ઘણા માર્ગોનું નવિનીકરણ કરવાની જરુર વર્તાતી હતી ત્યારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ માર્ગો મંજુર થતાં તાલુકાના આ અંતરિયાળ ગામોની જનતાને તાલુકા મથક ઝઘડીયા સહિત રાજપારડી અને ઉમલ્લા જેવા મથકોએ આવજાવ કરવામાં સુગમતા રહેશે. રસ્તાઓ મંજુર થતાં ગ્રામ્ય જનતામાં અાનંદની લાગણી જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat

બધાંરણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમો યોજાયા હતા …જેમાં રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા …….

ProudOfGujarat

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર “સરસ્વતી સન્માન સમારોહ 2023-24” યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!