Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં મેવાસનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા 100 જેટલી અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે ત્યારે નર્મદા જિલ્લાનાં તિલકવાળા તાલુકાના મેવાસના મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા તિલકવાળા સહિત આસપાસનાં ગામોમાં ગરીબોને 100 જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું હતું.

મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટમાં ચોખા, ઘઉં, તુવેરદાળ, ખાંડ, તેલ, હળદર, મરચું, ધાણા પાવડર, ચા, નહાવાના સાબુ, ડુંગળી, બટાકા, સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમાજનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમે લોકડાઉનમાં લોકોનાં ધંધા રોજગાર બંધ છે ત્યારે જે જરૂરતમંદ લોકો છે તેમને 100 જેટલી કીટનું વિતરણ કર્યું છે અને આગળ જો જરૂર જણાશે તો આ સેવા આપવા અમે સમસ્ત મેવાસના મુસ્લિમ સમાજ તૈયાર છીએ.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સાઉથ આફ્રિકાથી ભરૂચના બહાદુર બુરજના મકાનની માંગણી રૂ.1 કરોડમાં કરાઈ…. જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ : પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

ભરૂચના કવિઠામાં પ્રથમવાર પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગ : 15 સહભાગીઓએ કર્યો શરીર અને આત્માની શુદ્ધિનો અનુભવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!