Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં મેવાસનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા 100 જેટલી અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે ત્યારે નર્મદા જિલ્લાનાં તિલકવાળા તાલુકાના મેવાસના મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા તિલકવાળા સહિત આસપાસનાં ગામોમાં ગરીબોને 100 જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું હતું.

મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટમાં ચોખા, ઘઉં, તુવેરદાળ, ખાંડ, તેલ, હળદર, મરચું, ધાણા પાવડર, ચા, નહાવાના સાબુ, ડુંગળી, બટાકા, સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમાજનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમે લોકડાઉનમાં લોકોનાં ધંધા રોજગાર બંધ છે ત્યારે જે જરૂરતમંદ લોકો છે તેમને 100 જેટલી કીટનું વિતરણ કર્યું છે અને આગળ જો જરૂર જણાશે તો આ સેવા આપવા અમે સમસ્ત મેવાસના મુસ્લિમ સમાજ તૈયાર છીએ.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં વાવાઝોડાનાં કારણે કેળાનાં પાકને નુકસાન થતાં ખેડૂતોએ કરી વળતરની માંગ

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા એ કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરતા કાળી પટ્ટી ધારણ કરી તમામ મામલતદારે કર્યો વિરોધ.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકાનાં સફાઈ સૈનિકોને સફાઈકીટ અને ફુલહાર આપી સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!