Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનાં કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો.

Share

કોરોના વાયરસની મહામારી પ્રસરતી અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો છે. વાત્સલ્ય યોજનાના કાર્ડની તા.૩૧ માર્ચના રોજ પુરી થતી મુદ્દત તા.૩૦ જૂન સુધી લંબાવાઈ છે. પંચમહાલ જિલ્લામાં આ યોજનાના કુલ ૫૩,૦૩૫ લાભાર્થીઓ છે. સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા.૪ લાખ કે તેથી ઓછી આવકના દાખલાના આધારે લાભાર્થીઓના કુટુંબોને આ યોજનાના કાર્ડ આપવામાં આવેલ છે. તેમાં રાજ્ય સરકારશ્રીની સુચના મુજબ આવકના દાખલાની મર્યાદાના આધારે આ કાર્ડની મુદત ૩ વર્ષની રાખેલ હતી. તેમા ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧-૦૩-૨૦૨૦ ના રોજ આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતી હોય તેવા આવકના દાખલાની મુદ્દત તા.૩૦-૦૬-૨૦૨૦ સુધી લંબાવેલ છે. ત્યારબાદ લાભાર્થીઓએ આવકનો દાખલો રીન્યુ કરાવી લેવાનો રહેશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજીવ આવાસ યોજનાના ફ્લેટનાં મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ઘરવખરી બળીને ખાખ

ProudOfGujarat

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણ વાહનોને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!