Proud of Gujarat
GujaratINDIALifestyle

અંકલેશ્વર ઉધોગ મંડળ સૌજન્યથી આજે જીવન જરૂરી કીટનું ગરીબ, વિધવા તથા મજુરવગૅને વિતરણ સોરઠીયા સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું.

Share

વિશ્વનાં વિકરાળ એવા કોરોના વાયરસ નામક મહામારીથી તમામ દેશ તથા લોકો ભયભીત સહ દુઃખી છે, આજે ગરીબ, મધ્યમ વર્ગ તથા રોજીંદા મજુરવગૅ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, એક ટક ખાવાનું દુષ્કર થઈ રહ્યું છે, ત્યારે સદાય તમામ મુશ્કેલીમાં ત્તપર એવી ડૉ.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તથા તેના પ્રમુખ પરેશભાઈ મેવાડા અને તેમની કાયૅકરો ની ટીમ સહયોગી બનવાના વિનમ્ર પ્રયાસ કરતાં હોય છે, શિક્ષણ-મેડિકલ-તથા કુદરતી આપદ્દા હોય કે પછી ગરીબ લોકો માટે વિવિધ ક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓ હોય, તાજેતરમાં મહા વિકરાળ કોરોના વાયરસ અન્વયે ગરીબો તથા જરૂરતમંદ સમાજના લોકોને અંકલેશ્વર ઉધોગ મંડળ સૌજન્યથી આજે જીવન જરૂરી કીટનું ગરીબ, વિધવા તથા મજુરવગૅને વિતરણ સોરઠીયા સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના પ્રમુખ મા.પરેશભાઈ મેવાડા તથા બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ. રાઠોડ તથા અશોક મકવાણા, દિપક મકવાણા, જયેશ રાઠોડ, સુરેશ પેઈન્ટિંર,હિતેન્દ્ર પરમાર, ગણેશ મકવાણા, વિગેરે ઉપસ્થિત રહી સેવાના કાયૅમાં સહભાગી થયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ઘરની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં મોટાસોરવા ગામે વીજળી પડતા એક યુવકનું સ્થળ પર જ મોત નીપજયું.

ProudOfGujarat

વાંકલમાં સિંચાઈ યોજના પ્રશ્નો અંતર્ગત ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!