Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

Share

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ ભારત સરકારની ગાઈડ લાઈન દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી જય જલારામ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની ઉત્તરવહી તપાસવાનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ શિક્ષકો ગુજરાતી અને ગણિત વિષયની ઉત્તરવહી ચકાસણી કરી રહ્યા છે શિક્ષકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સોશીયલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને લઈ સેન્ટરોને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોધરામાં આવેલ જય જલારામ હાઈસ્કૂલ ખાતે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સેનેટાઈઝરથી સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

આમોદના દરબાર ગઢ વિસ્તારમાં ત્યજી દેવાયેલી બાળકી મળી

ProudOfGujarat

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!