Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે કોઈ પોઝિટીવ કેસ નહીં.

Share

પંચમહાલ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોવિડ-19 નો કોઈ પોઝિટીવ કેસ મળી આવ્યો નથી. જિલ્લાની કુલ 11 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે, જે પૈકી 2 વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું છે. જ્યારે બાકીના 9 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાલક્ષી કામગીરીમાં આજે વધુ 40 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોધરામાં સાત વિસ્તારોને કોવિડ-19 પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખ કરાઈ છે. આ વિસ્તારોના બફર ઝોનમાં આવેલા તમામ 30,858 ઘરોના 1,50,098 વ્યક્તિઓના સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગોધરા ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 4 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે બાકીના 5 દર્દીઓ વડોદરા ખાતે સારવાર લઈ રહ્યા છે. ગોધરાના કોરોના પ્રભાવિત 7 વિસ્તારોના 811 ઘરોના કુલ 3199 વ્યક્તિઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા 8 સ્થળોએ નિ : શુલ્ક પીવાનાં પાણીની સુવિધા કરાઇ. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!