Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસની ખડેપગે સેવા.

Share

અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા લોકડાઉનનાં નિયમન માટે પોલીસનું સઘન પેટ્રોલીંગ જોવા મળ્યું હતું. ભરુચ જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે. અને જિલ્લાની કોવિડ-19 જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આવેલી છે. ત્યારે કોરોનાના સંક્રમણનો સૌથી વધુ ખતરો અંકલેશ્વર શહેરમાં રહેલો છે. જોકે સામાજિક અંતર જળવાઈ રહે અને સંક્રમણ ન ફેલાઈ તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સતત રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવી રહ્યું છે. અંકલેશ્વર શહેરની રાજપીપળા ચોકડી, પ્રતિન ચોકડી તેમજ મીરાનગર વિસ્તારમાં પોલીસ વિભાગ ખડેપગે ફરજ નિભાવતા જોવા મળ્યા હતા. બહારથી આવતા સાધનોનું સઘન ચેકિંગ તેમજ કામ વગર બહાર નીકળતા લોકોની પૂછપરછ સાથે લોકડાઉનના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ કાર્યવાહી કરતી નજરે પડી હતી.

Advertisement

Share

Related posts

ડાંગ અને વઘઈમાં યુવા ભાજપ સહિતના સંગઠનોના મંત્રીઓએ આપ્યા રાજીનામા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ઝાંમ્બિયાથી ભરૂચ અને ભરૂચથી સુરત લઇ જવાતા હવાલાના 40.35 લાખ સાથે ત્રણ ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!