Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : પત્રકાર પર દેશદ્રોહનાં કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસ કરવા માંગ કરાઇ.

Share

સાંપ્રત સમયમાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પળે પળની માહિતી જનતા સુધી પહોંચાડી રહ્યા છે. દરમિયાન પત્રકારો સાથે અસભ્ય વર્તન તેમજ આડકતરી રીતે ફસાવવાનાં બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદનાં પત્રકાર ધવલ પટેલ દ્વારા સરકાર વિરોધી સમાચાર પ્રસિદ્ધ કરવા મુદ્દે રાજદ્રોહનો કેસ થવા મામલે પત્રકાર એકતા સંગઠન સાથે સંકળાયેલા રાજ્યભરનાં પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો છે. આજરોજ વાગરા મામલતદારને વાગરા તાલુકાનાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી પત્રકાર વિરુદ્ધ નોંધાયેલ રાજદ્રોહના ગુનામાં યોગ્ય કમિટી બનાવી સમિક્ષા કરી ન્યાય કરવા માંગ કરી હતી. જો સરકાર પત્રકારો સાથે અન્યાય કરશે તો આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ૭૪ વર્ષીય સુલભાબેને પોતાની જીવનમૂડીમાંથી રૂ. પાંચ લાખનો ચેક સૈનિકોના કલ્યાણ માટે કલેક્ટરને અર્પણ કર્યો.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી ના કામધેનુ એસ્ટેટ-2 માંથી રૂપિયા 19 લાખ થી વધુ ના મુદ્દા માલ ને ઝડપી લેતી પોલીસ*

ProudOfGujarat

ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે અંતરિયાળ અને ડુંગરો વચ્ચે ઝરણા સાથે ખીલી ઉઠેલી પ્રકૃતિ વચ્ચે આદિવાસી બાળાઓનો સોમ્યતાથી ભરેલ અનોખો વિડીયો વાઇરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!