Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : પત્રકાર પર દેશદ્રોહનાં કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસ કરવા માંગ કરાઇ.

Share

સાંપ્રત સમયમાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પળે પળની માહિતી જનતા સુધી પહોંચાડી રહ્યા છે. દરમિયાન પત્રકારો સાથે અસભ્ય વર્તન તેમજ આડકતરી રીતે ફસાવવાનાં બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદનાં પત્રકાર ધવલ પટેલ દ્વારા સરકાર વિરોધી સમાચાર પ્રસિદ્ધ કરવા મુદ્દે રાજદ્રોહનો કેસ થવા મામલે પત્રકાર એકતા સંગઠન સાથે સંકળાયેલા રાજ્યભરનાં પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો છે. આજરોજ વાગરા મામલતદારને વાગરા તાલુકાનાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી પત્રકાર વિરુદ્ધ નોંધાયેલ રાજદ્રોહના ગુનામાં યોગ્ય કમિટી બનાવી સમિક્ષા કરી ન્યાય કરવા માંગ કરી હતી. જો સરકાર પત્રકારો સાથે અન્યાય કરશે તો આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : અનિકેત દોએગરને 13 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ જુબિલન્ટ દ્વારા એનાયત કરાયો.

ProudOfGujarat

હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન સુચારૂ વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનો અનુરોધ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના આગોતરા આયોજન અંગે મળેલી બેઠક

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!