Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા અને વાઘપરા બજારનાં વેપારીઓનું બપોર પછી સ્વયંભુ લોકડાઉન.

Share

હાલ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં હોય ભરૂચ કલેક્ટર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. વેપારીઓને સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી અપવામા આવી છે છતાં ઉમલ્લા અને વાઘપરા ગામનાં વેપારીઓ દ્વારા બપોરે એક વાગ્યે સ્વયંભુ દુકાનો બંધ કરી સરકારશ્રીનાં નિયામોનુ પાલન કરી રહયા છે,ત્રીજા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યુ છે અને હાલ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં હોય ઉમલ્લા અને વાઘપુરા વેપારી મંડળનાં પ્રમુખે જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસનો સંક્રમણ વધુ ના ફેલાય એ માટે વેપારી મંડળ બપોરે એક વાગ્યે સંપૂર્ણપણે દુકાનો બંધ કરી તંત્રને સહકાર આપવા આ પગલું લેવામાં આવ્યું છે. ભરૂચ કલેક્ટર શ્રીના હુકમથી સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસનો ફેલાવો વધુ ના થાય તે માટે વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉમલ્લા અને વાઘપુરા બજારના તમામ વેપારીઓ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે પોતાની દુકાન ઉપર વેચાણ કરે છે અને કોઇ પણ ગ્રાહક માસ વગર દુકાને આવતો નથી અને તમામ ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી સરકારની અમલવારીનો પાલન કરે છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાનાં કેસોને નિયંત્રણમાં લાવવા નર્મદા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની અને આંગણવાડીની બહેનોએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી.

ProudOfGujarat

કરજણ ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલ ચાર બકરીઓનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!