Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જુની એમ્બ્યુલન્સનો હવે શબવાહીની તરીકે ઉપયોગ કરાશે.

Share

સુરેન્દ્રનગર નગરપાલિકા જાગૃત ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા બે દિવસ પહેલા નગરપાલિકા ગેરેજમાં ચેંકીગમાં આવેલા તેમાં એક જુની એબ્યુલન્સ પડી હતી તેમને વિચાર આવ્યો કે સુરેન્દ્રનગર શહેરમાં ઘણીવાર મૃતદેહ લાવવા લઈ જવા માટે ઘણી વખત તકલીફ પડે છે તેના અનુસંધાને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ ગેરેજ સુપ્રિન્ટેન્ડન્ટ આર.કે. ઝાલાને કહ્યુ કે આ જુની એબ્યુલન્સ જે ચાલુ હાલત છે તેને શબવાહીનીમાં બે દીવસમાં ફેરવી શકો છો. તેના અનુસંધાને આર કે ઝાલા
એ બે દિવસની અંદર જુની એબ્યુલન્સને શબવાહીનીમાં તૈયાર કરાવી આપી. આમ છેલ્લા ઘણા સમયથી ઘ્યાન આવેલ કે સુરેન્દ્રનગર શહેરમાં મૃતદેહ લાવવા લઈ જવા માટે શબવાહીની સરળતાથી પ્રાપ્ત થતી ન હતી અને સુરેન્દ્રનગર શહેરમાં શબવાહીનીની અછત પડી રહી હતી તે હવે સરળતા મળી રહેશે. આમ સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પંડ્યા એ જણાવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ, વીજ કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયાં

ProudOfGujarat

વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!