Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોકડાઉન દરમિયાન નર્મદાનાં નીર પ્રદુષણથી મુક્ત બન્યા.

Share

ભારતની મોટી નદીઓમાં જેની ગણના થાય છે એવી નર્મદા નદીનું આધ્યાત્મીક બાબતે પણ મોટું મહત્વ મનાય છે. ગુજરાતમાં નર્મદા નદી મોટાભાગે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે.ઉપરાંત અમુક સ્થળોએ વડોદરા જિલ્લાના કેટલાક ગામોનો પણ સમાવેશ થાય છે.આધ્યાત્મીક દ્રષ્ટિએ નર્મદાનું મોટુ મહત્વ છે. વાર તહેવારે નર્મદા સ્નાનનો પણ મહિમા છે. કેવડીયા નજીક નર્મદા પર બંધ બનતા તેમજ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાતા આ બાબત ગુજરાતને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં અગ્રેસર બની છે.કોરોના વાયરસના સંક્રમણને વધતુ અટકાવવા લોકડાઉન જાહેર કરાતા માણસોની અવરજવર તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ થઇ હતી, ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન નર્મદાના નીર નીતરા કાચ જેવા સ્વચ્છ દેખાયા હતા. લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક પ્રવૃતિઓ, માછીમારી, રેત ખનન જેવી બાબતો બંધ રહેતા નર્મદાનાં જળ પ્રદુષણ મુક્ત બનતા નીતરા અને ચોખ્ખા દેખાયા હતા. ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનુ ભાલોદ ગામ પણ નર્મદા તટે આવેલ એક આધ્યાત્મિક ગામ મનાય છે. ભાલોદ નજીક વહેતી નર્મદાના જળ એકદમ ચોખ્ખા દેખાતા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

સુરત રાષ્ટ્રવાદી યુવા વાહિની સુરત જિલ્લા દ્વારા CAA નાં સમર્થનમાં અને શાહિનબાગ ખાલી કરવા કલેકટરને આવેદન પત્ર આપી CAA ને સમર્થન આપ્યું.

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી…

ProudOfGujarat

અંક્લેશ્વર ના જુના કાશીયા ની સીમ માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બાઈક ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!