Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

Share

ભરૂચનાં પનોતા પુત્ર એવા રાજ્યસભાનાં સાંસદ એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે રમઝાન ઇદ નિમિત્તે જનતાને શુભેચ્છા પાઠવી સાથે જ કોરોના વાઈરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુક્તિ મળે એવી દુઆ કરી હતી. રમઝાન ઇદની શુભેચ્છા પાઠવવા અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલા રોઝ-ઇબાદતને અલ્લાહ-તાલા કબુલ કરે તેમજ ખુશીના આ પર્વમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાય છે એનાથી અલ્લાહ-તાલા મુક્તિ આપે એ દુઆ કરવાની સર્વ દેશવાસીઓને અપીલ કરી હતી. અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ આ સંકટમાંથી મુકત થાય અને તમામ દેશવાસીઓ ફરી એકવાર પોતાનુ સામાન્ય જીવન જીવતા થાય અવી જ આ પાક પર્વ નિમિત્તે દુઆ કરું છું. તેમણે દેશવાસીઓને એક થઈને આ સંકટનો સામનો કરવા માટે પણ અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતના રસ્તા પર કીચડથી અરજદારો પરેશાન

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરતાં પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!