Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને હરાવી 6 વર્ષીય બાળક ઘરે પરત ફર્યો.

Share

ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ કેસનાં આંક સતત વધી રહ્યા છે. કોરોના પોઝિટિવનાં આંકે હાફ સેન્ચ્યુરી પૂરી કરી નાંખી છે. ત્યારે આ વચ્ચે આજરોજ અંકલેશ્વરના તીર્થ નગરમાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીને રજા આપતા જિલ્લા માટે રાહત રૂપી સમાચાર છે. ગત તારીખ ૨૯ મે ના રોજ અમદાવાદ ખાતેથી અંકલેશ્વરનાં તીર્થ નગરમાં આવેલ પરિવારના ૬ વર્ષીય બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દસ દિવસની સારવાર આપ્યા બાદ ફરી એકવાર કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવતા 6 વર્ષના બાળકને હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ સાથે સન્માનભેર રજા આપવામાં આવી હતી. વધતા જતા કોરોના વાયરસ કેસ વચ્ચે વધુ એક દર્દી રિકવર થતા જિલ્લા માટે રાહતનાં સમાચાર છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો

ProudOfGujarat

ફરી એક વાર 108 ના કર્મચારી દ્વારા 108 એમ્બ્યુલન્સ માં કરાવી ડિલિવરી.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં સારોદ ગામમાં દરબારગઢ ખાતે રંગ અવધૂત મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!